|

|

|

Previous slide
Next slide

7 to 15 November, 2024

અક્ષરધામ તુલ્ય વડતાલધામને આંગણે શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મભક્તિ વાસુદેવ આદિ દેવોની સ્થાપનાને સંવત્‌ – ર૦૮૧ માં ર૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વિક્રમ સંવત્‌ – ર૦૮૧ કારતક સુદ – ૭ (સાતમ), તા.૭/૧૧/ર૦ર૪ થી કારતક સુદ – ૧પ (પૂનમ) તા.૧પ/૧૧/ર૦ર૪ સુધી દિવ્ય “શ્રીલક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ” ભવ્યતાથી ઉજવવા નિર્ધાર્યું છે.

Forms

Swayam Sevak

Bhajan

Donation

Swayam Sevak

Bhajan

Donation

Announcements

Welcome

હે ભક્તો ! હિન્દુસ્તાન એ તીર્થોનો અણમોલ ખજાનો છે. વિશ્વના અનેક દેશોમાં ભૌતિકતાની બોલબાલા છે, પરંતુ ત્યાં તીર્થો જોવાં મળતાં નથી. ત્યાં મોટી મોટી ૬૬૭૧ કિલોમીટર જેટલી નાઈલ જેવી નદીઓ લાંબી છે; પણ એને કોઈ તીર્થ કહેતું નથી, કારણ કે તેના પાણીમાં પ્રગટ પ્રભુએ ક્યારેય સ્નાન કરેલ નથી. પરંતુ વડતાલધામમાં આવેલ ગોમતી તળાવ છે, તેમાં તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણે અનેકવાર નાન કરી તેને વિશેષ તીર્થત્વ આપેલ છે, તેથી તેને તૂલ્ય નાઈલ કે એમેઝોન જેવી લાંબી લાંબી નદીઓ કે વિક્ટોરિયા અને મિસિગન જેવાં વિશાળ સરોવરો આવે નહિ.

હે ભક્તો ! ભારત દેશની પવિત્ર ભૂમિમાં ભગવાન અને પવિત્ર સંતોનાં પાવન પગલાંને કારણે ઠેર-ઠેર તીર્થ-ક્ષેત્રો પથરાયેલાં છે. એવાં તીર્થોમાં પણ અમુક તીર્થો તો એવાં છે કે જેનું વર્ણન શેષજી પણ હજારમુખે વર્ણન ન કરી શકે અને એ તીર્થ એટલે વરતાલધામ ! કારણ કે વડતાલ ગામમાં સ્વયં પ્રગટ પ્રભુ ભગવાન સ્વામિનારાયણે ૪૫ વાર પધારી આખા ગામની ધરતીને પોતાના પાવન પદારવિંદથી પવિત્ર કરેલ છે. તેના કારણે વરતાલ ગામને વડતાલધામ અને તીર્થરાજ પણ કહેવાય છે.

Key Attractions

Event

7 to 15 November, 2024

મહોત્સવ દરમ્યાન થનાર વિશેષ આયોજનો

  • કથાપાયરાણ
  • મહાપૂજા
  • રાજોપચાર પૂજન
  • અભિષેક
  • અન્નકોટ
  • સંત-દીક્ષા
  • અક્ષરભુવન નિમિત્તે સુવર્ણ તુલા
  • વ્યાખ્યાન માળા
  • પ્રવચનમાળા
  • ચર્તુવેદ પારાયણ
  • સાંપ્રદાયીક સંત સંમેલન
  • સાંસ્કૃતીક કાર્યક્રમો
  • અખંડ ધૂન
  • અખંડ – મંત્રલેખન
  • અખંડ – સંતકિર્તન
  • ગ્રંથ પ્રકાશન
  • પ્રદર્શન
  • ગૌ-પ્રદર્શન
  • બ્રહ્મ ભોજન
  • યુવા મંચ
  • બાળમંચ
  • સમર્પીત હરિભક્તોનું સન્માન
  • ૨૦૦ કુંડીયજ્ઞ
  • ૨૦૦ કન્યાશાળાઓમાં શૈક્ષણિક સહાય,
  • ૨૦૦ બ્રહ્મ બાળકોને સમૂહ યજ્ઞોપવિત
  • ૫૦૦ દિવ્યાંગોને કૃત્રિમ હાથ-પગ વિતરણ
  • ૨૦૦ સમૂહ લગ્ન
  • ૨૦૦ વિધવા – ત્યક્તા બહેનોને સીલાઈ મશિન વિતરણ
  • ૨૦૦ ગામમાં ૧૨ કલાકની અખંડધૂન
  • ૨૦૦ ગામોમાં બાલયુવા પ્રવૃત્તિઓ કરવી.
  • ૨૦૦ ગામોમાં અખંડ ધૂનનુ આયોજનં.
  • ૨૦૦ ઉપરાંત શાકોત્સવો,
  • ૨૦૦ (ત્રી, પંચ, સપ્ત દિવસીય) પારાયણો,
  • ૨૦૦ સંતોએ એક સાથે ગ્રુપ બનાવી ૨ લાખ ઘર સુધી પધરામણી કરવી.
  • ૨૦૦ મીનીટ ધૂનના નિયમો આપવા.
  • ૨૦૦ જાહેર સ્થળ એવં ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન
  • સાયકલ યાત્રા
  • બાઈક રેલી
  • કાર યાત્રા
  • વિવિધ સેમીનારો કરવા
  • (૧) પ્રાકૃતીક ખેતી (૨) સંસ્કૃતીનું જતન
  • મહિલામંચ
  • ગોમતીજીમાં અભિષેક – આરતી
  • સ્વયંસેવક અભિયાન
  • મોટા શહેરોમાં સંમેલન
  • ગોમતીજીનાં લાઈટ એન્ડ સાઉન્ડ શો ૪૯.અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ તથા જરૂરિયાતમંદોને વસ્ત્રો,
  • અક્ષરધામ વિડીયો – શો
  • વિવિધ મેડિકલ કેમ્પો
  • વિડલ સદ્ગુરૂ સંતોનું સન્માન

મહોત્સવ પૂર્વે થનાર વિશેષ આયોજનો

  • ર૦૦ બ્રહ્માણ બાળકોને સમૂહ યજ્ઞોપવિત
  • ૨૦૦ સમૂહ લગ્ન (નિઃશુલ્ક)
  • ૨૦૦ વિધવા – ત્યક્તા બહેનોને
  • સીલાઈ મશિન વિતરણ
  • ૨૦૦ દિવ્યાંગોને ટ્રાઈસિકલ વિતરણ
  • ૨૦૦ વ્હીલ ચેર વિતરણ
  • ૨૦૦ વોકર વિતરણ
  • ૨૦૦ ગામમાં ૧૨ કલાકની અખંડધૂન
  • ૨૦૦ ગામોમાં બાલયુવા પ્રવૃત્તિઓ કરવી
  • ૨૦૦ ઉપરાંત શાકોત્સવો
  • ૨૦૦ (ત્રી, પંચ, સપ્ત દિવસીય) પારાયણો, (વ્યાખ્યાનમાળા)
  • ૨૦૦ સંતોએ ર લાખ ઘર સુધી પધરામણી કરવી
  • ૨૦૦ મીનીટ ધૂનના નિયમો આપવા
  • ૨૦૦ જાહેર સ્થળ એવં ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન
  • ૨૦૦ તીર્થોનું જળ લાવવું (અભિષેક માટે)
  • ૫૦૦ દિવ્યાંગોને કૃત્રિમ હાથ-પગ વિતરણ
  • ૨૦૦૦ વોકીંગ સ્ટીક વિતરણ
  • ૪૫૦૦ તુલસીનાં છોડ, શ્રીમદ્ ગીતાજી, શિક્ષાપત્રી, હનુમાનદાદાની મૂર્તિ વગેરેનું વિતરણ
  • ૨૩૦૦૦ આંગણવાડીના બાળકોને જેકેટ વિતરણ
  • સાયકલ યાત્રા
  • પદયાત્રા
  • બાઈક રેલી
  • કાર યાત્રા
  • યુવા મંચ (વિરાટ સંમેલન)
  • બાળમંચ (વિરાટ સંમેલન)
  • મહિલામંચ (વિરાટ સંમેલન)
  • વિવિધ સેમીનારો કરવા (૧)
  • પ્રાકૃતીક ખેતી (૨) સંસ્કૃત
  • સ્વયંસેવક અભિયાન
  • મોટા શહેરોમાં સંમેલન
  • અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ તથા જરૂરિયાતમંદોને વસ્ત્રો, પ્રસાદ, સામગ્રી વિતરણ
  • નિમંત્રણ યાત્રા – રથ
  • છ ઘામમાં અખંડ જ્યોત
  • વાર્ષિક યજ્ઞ (વડતાલ મંદિરમાં)
  • સમૂહ મહાપૂજા
  • વિવિધ મેડિકલ કેમ્પો
  • બ્લડ ડોનેશન કેમ્પ
  • વડતાલમાં પૂર્ણિમાએ સત્સંગ સત્ર
  • વૃક્ષોરોપણ
  • મહોત્સવ પૂર્વ અનેકવિધ પ્રસંગો

સંપ્રદાયના 6 અંગો

About

Vadtaldham

હે વહાલા સંતો-ભક્તો ! અઢારમી સદી એટલે અંધાધુંધ અને અરાજકતાનો આકરો સમય. ‘મારે એની તલવાર’ ‘સુંડલે ઉચાળા’ એવી પરિસ્થિતિ હતી. ચોરી, લૂંટફાટ, અનીતિ અને અત્યાચારોની આગથી ગુજરાતની ધરતી સળગી રહી હતી. રક્ષક રાજાઓ જ ભક્ષક બન્યા હતા. પ્રજાનું પુત્રની જેમ પોષણ કરવાને બદલે શોષણ કરતા હતા. અંધશ્રદ્ધા અને વહેમોની ચુંગાલમાં મોટા ભાગના માનવીઓ ઘેરાયેલા હતા. આસુરીવૃત્તિવાળા બાવાઓના ત્રાસથી સંતો અને સજ્જન પીડાઈ રહ્યા હતા.

ભક્તો ! આવા કપરાકાળમાં અને આવી વિકટ વેળાએ અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાતી, કુટાતી માનવજાતના ઉત્થાન માટે અને ઉદ્ધાર માટે અનંતકોટિ બ્રહ્માંડોના મહાનાયક-અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ, સર્વોપરી-સર્વાવતારી જે આદિનારાયણ ભગવાન કહેવાય છે, તે જ મહાપ્રભુ આ પૃથ્વી પર પ્રગટ થઈ સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખાયા.

Mahotsav Venue

Shree Swaminarayan Mandir, Vadtaldham

Airport

71 Km

Ahemdabad Airport to Vadtal

Airport

63 Km

Vadodara Airport to Vadtal

Railway Station

9 KM
Anand to Vadtal

Railway Station

15 Km
Nadiyad to Vadtal

Follow Us

Connect with us and get latest updates of the Mahotsav

Mahotsav Broadcasting On

guGujarati