|

|

|

ગોમતીજી કિનારે ઓટો

ગોમતીજીના ઉત્તર કિનારે પાણીની ટાંકી પાસે એક મોટું આંબાનું ઝાડ હતું. ત્યાં શ્રીહરિ ઘણીવાર સભા કરીને બેસતા હતા. જ્યારે ગોમતીજી ગાળવાનું કામ ચાલતું હતું ત્યારે આ આંબા નીચે શ્રીહરિ સેવા કરનાર સંતો અને હરિભક્તોને ભેટતા અને પ્રસાદ આપતા હતા. આ આંબાની બાજુમાં એક કૂવો હતો. તેના જળથી શ્રીહરિજીએ ઘણીવાર સ્નાન કરેલ છે. તેમજ સંતો- ભક્તો સાથે પ્રશ્નોત્તરી પણ કરેલ છે. આ સ્થળની સ્મૃતિ કાયમ માટે જળવાઈ રહે એ માટે આ જગ્યાએ ઓટો બનાવી શ્રીજી મહારાજનાં ચરણારવિંદ પધરાવેલ છે.

guGujarati