|

|

|

સંતોની – ધર્મશાળા

મુખ્ય મંદિરની ઉત્તરની બાજુએ આ સંતોની ધર્મશાળા આવેલી છે. અહીંયા શ્રીજી મહારાજના સમયમાં ૫૦૦ ઉપરાંત સંતો બંને માળમાં રહેતા હતા. આ ધર્મશાળા શ્રીજી મહારાજે બનાવડાવી હતી. આ ધર્મશાળામાં શ્રીહરિ એ ૪૯૬ વાર સંતોને પીરસી પોતાનો રાજીપો દર્શાવીયો છે. ઘણાં વષો સુધી ગોપાળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આ ધર્મશાળામાં રહેલા છે. હાલમાં ત્યાં આ સદગુરુઓનાં આસનો આવેલાં છે. અને ત્યાં દરરોજ દર્શન કરવા માટે ઘણા સંતો અને ભક્તો જાય છે. માટે આ જગ્યા અત્યંત પ્રસાદીની છે.

guGujarati